પાટણ જિલ્લાના આહીર સમાજે તલાલાના ધારાસભ્યના સમર્થનમાં આપ્યુ આવેદનપત્ર

  • Published By : bknews
  • Published Date : 2019-03-27 06:52:38
  • Views : 455
  • Modified Date : 2019-03-27 06:52:38

તલાલાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડને સસ્પેન્ડ કરાયાના મુદ્દે રાજકારણમાં ગરમાવો છે. તેમજ કોંગ્રેસ દ્વારા તેમના સમર્થનમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે ત્યારે પાટણ જિલ્લાના આહીર સમાજના લોકોએ પણ તેમના સમર્થનમાં રાધનપુર નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.  આવેદનપત્ર આપવા આવેલા સમાજના આગેવાનોમાં ભાજપ પ્રત્યે આક્રોસ પણ જોવા મળ્યો હતો જે આગામી ચૂંટણીમાં ભાજપને ભોગવવો
પડે તેવુ જોવા મળ્યુ હતુ.
આજે લોકો પોતપોતાના સમાજ તરફી કામો કરી રહ્યા છે જેમાં ઠાકોર સેના હોય કે પાસ હોય કે અન્ય સમાજની વિવિધ સેનાઓ હોય તે પોતાના સમાજની પડખે ઉભી છે. ત્યારે પાટણ આહીર સમાજ પણ
પોતાના ધારાસભ્યની પડખે ઉભા રહેવા માટે રાધનપુર ખાતે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને જેમાં જણાવેલ કે આહીર સમાજના અગ્રણી અને તલાલાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડને કાયદાની જોગવાઇથી વિપરીત અને ભાજપના મનસ્વીપણાથી તેમને વિધાનસભાના સભ્ય
પદેથી દૂર કરવામાં આવ્યા છે, વિધાનસભાના અધ્યક્ષ દ્વારા લેવાયેલ તેમના મનસ્વીપણા નિર્ણયને પાટણ જિલ્લાના આહીર સમાજે વખોડી કાઢ્યો હતો.  જણાવેલ કે જેના રાષ્ટ્રીય પ્રમુખ તડીપાર થયેલા હોય, જેના નેતાઓ માનવ તસ્કર જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય તેવા ભાજપ માટે પ્રજા સેવા એક ધંધો બની ગયો છે. ભુતકાળમાં ભાજપના ધારાસભ્યો અને સંસદ સભ્યો સામે અનેક ગંભીર ગુનાઓમાં સજા પણ કરવામાં આવેલ તેવા કિસ્સઓ હયાત છે તો તેમની સામે કોઇ કાર્યવાહી નહી. ત્યારે તલાલાના કોંગ્રેસના ધારાસભ્ય સામે થયેલ કેસની કાર્યવાહી કોર્ટમાં ચાલે છે છતાં પણ તેમણે ધારાસભ્ય પદેથી દૂર કરવાનો નિર્ણય ગેર બંધારણીય  ગણાય માટે યોગ્ય ન્યાય મળે તે માટે આ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1999