નવાવાસ (ખી) પ્રા.શાળા ખાતે ધો.૮ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો

  • Published By : bknews
  • Published Date : 2019-04-02 17:44:01
  • Views : 2219
  • Modified Date : 2019-04-02 17:44:01



તા.૧ એપ્રિલ-૨૦૧૯ના રોજ ખીમાણા પે.સેન્ટર શાળાની નવાવાસ (ખી) પ્રા.શાળામાં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાંય સમારંભ યોજાયેલ.
શાળાના આચાર્ય ગાયત્રીબેન જાષી અને જયંતિભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ ધો.૬ના બાળકો દ્ધારા વિદાય ગીત, શાબ્દીક પ્રવચન આપવામાં આવેલ. તેમજ શાળા સ્ટાફના અમૃતભાઈ લુણી, મુકેશજી પરમાર, ચિરાગભાઈ સુથાર, હસમુખભાઈ પટેલ, મુકેશભાઈ દરજી, પિનલબેન તરફથી બાળકોને આર્શીવચન પાઠવેલ ચૈતાલીબેન પટેલ તથા વર્ગ શિક્ષક અનિતાબેન પ્રજાપતિ દ્ધારા વિદાય લેતા બાળકોને બોલપેન આપવામાં આવેલ ધો.૮ના બાળકો તરફથી શાળાને મોટી દીવી તથા સરસ્વતી માતાનો ફોટો અર્પણ કરવામાં આવેલ.
આમ આ પ્રસંગે શાળાના અમરતજી પરમાર (મ.ભો.સંચાલક) તરફથી બેસનના ગોટા તથા ચટણીનો નાસ્તો આપવામાં આવેલ.


Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1580