ભારતના રાજકારણમાં મનોહર પર્રિકરની ‘શાખ' કાયમી રહેશે
- Published By : bknews
- Published Date : 2019-03-26 12:15:11
- Views : 962
- Modified Date : 2019-03-26 12:15:11

મનોહર પર્રિકર નાનકડા રાજ્ય ગોવાના મુખ્યમંત્રી હતા ને રાષ્ટ્રીય સ્તરે બહુ વજનદાર કહેવાય એવા નેતા પણ નહોતા પણ કેટલીક ખાસિયતોના કારણે તેમને ચોક્કસ યાદ રાખવાપડે. રાજકારણમાં મોટા ભાગના રાજકારણીઓ ઝાઝું ભણેલા હોતા નથી. આ માહોલમાં પર્રિકર જેને ભણેલા માણસ તરીકે નિઃશંકપણે સ્વીકારવા પડે એવા નેતા હતા. મનોહર પર્રિકર ગોવાના સુખી પરિવારમાં જન્મેલા તેથી અંગ્રેજી મીડિયમમાં ભણેલા ને પછી ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટૅકનોલાજી (આઈઆઈટી) માંથી ગ્રેજ્યુએટ થયેલા. આ વાત ચાલીસ વરસ પહેલાંની છેઆજે પણ આઈઆઈટીમાં એડમિશન લેવું એ કાચાપોચાના ખેલ નથી ત્યારે પર્રિકર એ જમાનામાં આઈઆઈટીમાંથી મેટલર્જીમાં બી. ટેક. થયેલા. એ જમાનામાં રાજકારણમાં વકીલ હોય ત્યારે આવી મોટી ડિગ્રીવાળો માણસ રાજકારણમાં આવે એ જ મોટી વાત હતી. એ વખતે એવી ડિગ્રી હોય તો માણસ આરામથી મોટી નોકરી મેળવી શકે. મનોહર પર્રિકર વિશે બીજી પણ એક વાત કરવી જરૂરી છે. ભાજપના મોટા ભાગના નેતાઓ વટલાઈને કોંગ્રેસીઓ જેવા જ બની ગયા છે. ત્યારે પર્રિકર ચોખ્ખા માણસ તરીકેની શાખ છેક લગી જાળવી શકેલા. રાફેલ સોદામાં તેમનું નામ આવ્યું પણ એ સિવાય પર્રિકર સામે આગંળી ચીંધાય એવું કશું નહોતું. એકદમ સાદગીથી રહેતા પર્રિકર બીજાએ પ્રેરણા લેવી પડે એ રીતે જીવતા હતા.એ વખતે પણ અમેરિકા સહિતના વિકસિત દેશ આપણા આઈઆઈટી ગ્રેજ્યુએટ્સને લાલ જાજમ પાથરીને આવકારતા. પર્રિકર પાસે એ વિકલ્પ પણ હતો પણ તેના બદલે તેમણે રાજકારણમાં આવવાનું પસંદ કર્યું. તેનું કારણ એ કે પર્રિકર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા હતા ને બહુ પહેલાં જ એ નક્કી કરીને બેઠેલા કે રાજકારણમાં ઝંપલાવવું છે. તેમના પરિવારને પણ આ સાંભળીને આંચકો લાગી ગયેલો પણ પર્રિકરે કોઈનું ના સાંભળ્યું ને ધાર્યું કરીને જ જંપ્યા. પર્રિકરે કરેલી આ હિંમત કેટલી મોટી હતી તેનો અંદાજ એ વાત પરથી આવે કે, પર્રિકર ૧૯૯૪માં પહેલીવાર ધારાસભામાં ચૂંટાયા ત્યારે આઈઆઈએમમાં ભણેલો કોઈ માણસ ધારાસભ્ય બન્યો હોય એવી એ પહેલી ઘટના હતી. પર્રિકર એ રીતે આઈઆઈએમના વિદ્યાર્થી રહી ચૂક્યા હોય ને મુખ્યમંત્રી બન્યા હોય તેવા પણ પહેલા રાજકારણી હતા.પર્રિકરને ગોવામાં ભાજપના ખીલા ઠોકનારા નેતા તરીકેનું શ્રેય અપાય છે. આપણે ગોવાના રાજકારણ વિશે ઝાઝું જાણતા નથી તેથી આ વાત બહુ મોટી ના લાગે પણ આ કામ ખરેખર કપરું હતું. તેમણે ગોવામાં ભાજપની તરફેણમાં માહોલ ઊભો કર્યો ને ધીરે ધીરે ગોવામાં પણ ભાજપને ગણતરીમાં લેવો પડે એવી સ્થિતિ પેદા કરી દીધી. ૨૦૦૦માં પર્રિકર પહેલી વાર ગોવાના મુખ્યમંત્રી બનેલા. ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઘરભેગો થયો પછી થોડા સમયમાં પર્રિકરે પણ ઘરભેગા થવું પડેલું પણ ગોવાના મુખ્યમંત્રી બનીને તેમણે ભાજપ વિંધ્યને પેલે પાર ના જઈ શકે એ મહેણું ભાંગી દીધેલું. એ પછી તો પર્રિકર ત્રણ વાર ગોવાની ગાદી પર બેઠા. ગોવામાં ભાજપ એટલે પર્રિકર એવું સમીકરણ જ થઈ ગયેલું. પર્રિકરે ગોવામાં ભાજપને એવો જોરાવર બનાવ્યો કે એક સમયે ભાજપના ઉમેદવારો ડિપોઝિટ પણ ગુમાવતા તેના બદલે ગોવાની બંને લોકસભા બેઠકો ભાજપ જીતતો થઈ ગયો છે.સાદગીના પ્રતિક એવા સરળ નેતા મનોહર પાર્રિકરજી સાથે આજની પેઢીના નેતાઓએ ઘણું શીખવા જેવું છે. ભાજપ હાઈકમાન્ડે પ્રમોદ સાવંતના યોગદાનની કદર કરી ગાદી આપી છે. પ્રમોદ સાવંત અત્યાર લગી ગોવા વિધાનસભાના સ્પીકર હતા ને ભાજપ સરકાર પાસે બહુમતી નહીં હોવા છતાં વિધાનસભામાં તેમને વાંધો ના આવ્યો તેમાં સાવંતનું પણ યોગદાન છે. ભાજપ હાઈકમાન્ડે તેની કદર કરીને તેમને ગાદી જ આપી દીધી. સાવંત પર્રિકરના ખાસ માણસ હતા એ પણ કારણ હોઈ શકે. સાવંત આયુર્વેદિક ડાક્ટર છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરની આયુર્વેદિક કાલેજમાંથી બીએએમએસ ડીગ્રી મેળવનારા સાવંતે એ પછી માસ્ટર ઓફ સોશિયલ વર્ક્સ કરેલું. મનોહર પર્રિકરની જેમએ પણ નોર્થ ગોવામાંથી આવે છે ને પર્રિકરની આંગળી પકડીને એ રાજકારણમાં આવ્યા છે. સાવંતના પિતા પાંડુરંગ સાવંત ભાજપમાં સક્રિય હતા. તેના કારણે સાવંત બહુ નાની વયે પર્રિકરની સાથે જોડાઈ ગયેલા. પર્રિકરને સાવંતમાં એટલો વિશ્વાસ હતો કે ગોવાના વિકાસ માટે બનાવાયેલા ગોવા સ્ટેટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેનપદે તેમણે સાવંતને મૂકેલા. એ રીતે ગોવાનો સરખો વિકાસ થાય એ જોવાની જવાબદારી તેમણે સાવંતના માથે નાખેલી. સાવંતનાં પત્ની સુલક્ષણા પણ રાજકારણમાં સક્રિય છે અને ગોવા ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખ છે. આ રીતે તેમનો આખો પરિવાર ભાજપને સમર્પિત છે તેથી તેમની પસંદગી થઈ હોય એ પણ શક્ય છે.
Related News
ડીસામાં ધોળે દિવસે ફાયરિંગ કરી લૂંટ ચલાવી...
- by bknews
- June 13, 2019, 11:03 am
- 2728
સાધ્વી રેપ કેસ આસારામનો પુત્ર નારાયણ સાંઇ અંતે...
- by bknews
- April 27, 2019, 12:03 pm
- 1814
માલગઢમાં માળી સમાજનો ૨૦ મો સમૂહલગ્નોત્સવ...
- by bknews
- April 27, 2019, 11:52 am
- 1653
મારૂ ધારાસભ્ય પદ છીનવાશે તો કોંગ્રેસે તેના માઠા પરીણામ ભોગવવા પડશે ...
- by bknews
- April 27, 2019, 11:44 am
- 1181
ધાનેરામાં રાયડા ખરીદીમાં થતા ભ્રષ્ટ્રાચાર બાબતે કિસાન સંઘનું...
- by bknews
- April 27, 2019, 11:35 am
- 1062
ધાનેરા માલોત્રા વચ્ચે અકસ્માતમાં ૫ લોકો...
- by bknews
- April 27, 2019, 11:09 am
- 559
વલસાડમાં કર્મચારીને મારનારા પ્રાંત અધિકારી સામે કાર્યવાહી કરવા...
- by bknews
- April 27, 2019, 11:04 am
- 449
ભાટવાસમાં બોરવેલ શોભાના ગાંઠિયા સમાન સમાચાર પ્રસિદ્ધ થતાં જ તંત્ર...
- by bknews
- April 27, 2019, 10:57 am
- 496
રાયબરેલીથી સોનિયા ગાંધીએ ભર્યું ઉમેદવારી પત્ર, કહ્યું અજય નથી મોદી, તેઓ...
- by
- April 11, 2019, 5:28 pm
- 1000
મેગાસ્ટાર ચિરંજીવીએ પુત્ર રામચરણ સાથે કર્યું વોટિંગ, જૂનિયર NTR એ પણ કર્યો...
- by
- April 11, 2019, 4:10 pm
- 578
મેગાસ્ટાર ચિરંજીવીએ પુત્ર રામચરણ સાથે કર્યું વોટિંગ, જૂનિયર NTR એ પણ કર્યો...
- by
- April 11, 2019, 12:44 pm
- 0
અમારી પ્રોડક્ટ્સ પર 100 ટકા ડ્યૂટી, ભારત વિશ્વમાં સૌથી વધુ ટેક્સ લગાવનાર...
- by
- April 5, 2019, 1:53 pm
- 471
વાયનાડમાં ઉમેદવારી ફોર્મ ભર્યા પછી રાહુલે શરૂ કર્યો રોડ શો, પ્રિયંકા ગાંધી...
- by bknews
- April 8, 2019, 11:46 am
- 903
વડાવળ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના બાળકોનો વિદાય સમારંભ...
- by bknews
- April 3, 2019, 1:30 pm
- 1757
સિધ્ધપુરનાં સુજાણપૂર હાઈવે પર...
- by bknews
- April 3, 2019, 1:15 pm
- 518
પાલનપુરના ધારાસભ્ય ઉમેદવારી પત્ર લઇ જતાં તર્ક-...
- by bknews
- April 3, 2019, 1:03 pm
- 485
થરાદથી વાઘાસણ જતી એસ.ટી.બસ પીલૂડાથી વળતી થતાં વાલીઓએ કર્યો ...
- by bknews
- April 3, 2019, 12:53 pm
- 733
બ.કાં.માં કોંગ્રેસે અંતે પરથી ભટોળ ઉપર મહોર...
- by bknews
- April 3, 2019, 12:44 pm
- 523
વાગડોદના પૂર્વ ધારાસભ્યએ રાજીનામું પરત...
- by bknews
- April 2, 2019, 5:55 pm
- 515
આર્મીની ટ્રેનિંગ પુરી કરી આવેલા બે જવાનોનું પાલનપુરમાં સામૈયુ...
- by bknews
- April 2, 2019, 5:54 pm
- 650
ઢીમાના દલિતો દ્વારા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં...
- by bknews
- April 2, 2019, 5:51 pm
- 554
થરામાં કોંગ્રેસ પાર્ટી કાંકરેજ વિધાનસભા જન આશીર્વાદ ભવ્ય સંમેલન...
- by bknews
- April 2, 2019, 5:48 pm
- 490
નવાવાસ (ખી) પ્રા.શાળા ખાતે ધો.૮ના બાળકોનો વિદાય સમારંભ...
- by bknews
- April 2, 2019, 5:44 pm
- 1911
શિહોરી મહારાજા જીનીંગમાં ભાજપનું સંમેલન...
- by bknews
- April 2, 2019, 5:36 pm
- 449
પાલનપુરના જીવલક્ષ્મી ફાઉન્ડેશનના સહયોગથી આકેસણ શાળા અને ચિલ્ડ્રન હોમના...
- by bknews
- April 2, 2019, 5:33 pm
- 428
જમુઈમાં બોલ્યા મોદી, વિપક્ષ જણાવે કે તેમને ભારતના સપૂતો પર વિશ્વાસ છે કે...
- by
- April 2, 2019, 5:53 pm
- 458
છાપી વેપારી મંડળની દશમી વાર્ષિક સાધારણસભા...
- by bknews
- April 2, 2019, 5:31 pm
- 755
ડીસા ખાતે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તેમજ દરબાર મ્યુઝિકલ ગ્રુપના...
- by bknews
- April 2, 2019, 5:29 pm
- 610
એમ.એસ.ડી. ઇન્ટરનેશનલ સ્કૂલ થરાદમાં વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમ...
- by bknews
- April 2, 2019, 5:26 pm
- 466
કામદાર વિરુદ્ધ નામદારની ચૂંટણી હશે ઃ વિજય...
- by bknews
- April 2, 2019, 5:15 pm
- 448
ડીસા ગાયત્રી મંદિર પાસે મીનરલ ઠંડા પાણીની પરબ ખુલ્લી...
- by bknews
- April 2, 2019, 5:00 pm
- 457
પાટણ તાલુકાના ડેર ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન...
- by bknews
- April 2, 2019, 4:55 pm
- 783
પાકિસ્તાને ત્રણ સૈનિકો ગુમાવ્યાનો કર્યો સ્વીકાર, ભારતીય સેનાએ કહ્યું...
- by
- April 2, 2019, 4:45 pm
- 512
પાકિસ્તાને ત્રણ સૈનિકો ગુમાવ્યાનો કર્યો સ્વીકાર, ભારતીય સેનાએ કહ્યું...
- by
- April 2, 2019, 4:43 pm
- 0
પાકિસ્તાને ત્રણ સૈનિકો ગુમાવ્યાનો કર્યો સ્વીકાર, ભારતીય સેનાએ કહ્યું...
- by
- April 2, 2019, 4:42 pm
- 0
વડગામ બ્લોક હેલ્થ કચેરી ખાતે પર્ફોર્મન્સ ઈમ્પ્રુવમેન્ટ પ્લાનની માહિતી...
- by bknews
- April 2, 2019, 3:45 pm
- 578
પક્ષીઓ માટે કુંડા, ચકલીમાળા બર્ડ ફીડરનુ વિતરણ કરવામાં...
- by bknews
- April 2, 2019, 3:41 pm
- 594
દાંતીવાડાના ભાખરની દીકરી ઇન્ટરનેશનલ મેરેથોન દોડમાં...
- by bknews
- April 2, 2019, 3:32 pm
- 442
પાલનપુરના રામપુરા (વડલા) ગામેથી નરકંકાલ મળી આવતાં...
- by bknews
- April 2, 2019, 3:22 pm
- 462
વાવના લાલપુરા ગામે પીવાના પાણીના...
- by bknews
- April 2, 2019, 3:14 pm
- 470
સમર્પણ ગ્રુપ દ્વારા ડીસામાં પાણીની પરબ ધારાસભ્ય શશીકાંત પંડયાના વરદ...
- by bknews
- April 2, 2019, 1:24 am
- 458
ડીસામાં ભાજપની સાયકલ...
- by bknews
- April 1, 2019, 6:24 pm
- 513
આખરે નાઈ સમાજનું સપનું પુરૂ થયું કેળવણી અને શિક્ષણ માટે જમીન...
- by bknews
- April 1, 2019, 6:20 pm
- 415
અમદાવાદમાં પારો ૪૧થી ઉપર પહોંચી...
- by bknews
- April 1, 2019, 6:07 pm
- 1090
ધાનેરાના બાપલા ગામે પોલીસ ટેન્ટમાં આગ લાગતાં અફરા...
- by bknews
- April 1, 2019, 5:54 pm
- 384
બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી પરબતભાઇ પટેલ ચોથી એપ્રિલ, ૧૨ઃ૩૯...
- by bknews
- April 1, 2019, 5:52 pm
- 1