અરુણ જેટલીનો રાહુલ પર કટાક્ષ, બોલ્યા- ડુબતા રાજવંશને બચાવવા હજુ કેટલા જુઠ બોલશો ?

  • Published By : bknews
  • Published Date : 2019-02-13 12:00:42
  • Views : 500
  • Modified Date : 2019-02-13 12:00:42

ફ્રાન્સ સાથે થયેલા રાફેલ ફાઇટર જેટ ડીલને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ઇ-મેલનો હવાલો આપતા પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલે આરોપ લગાવ્યો છે કે ડીલમાં પીએમએ એક બિઝનેસમેનના વચેટીયાની ભૂમિકા ભજવી છે. રાહુલના આ આરોપો પછી કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ વળતો પ્રહાર કર્યો છે.

જેટલીએ ફેસબુક પર એક બ્લોગ લખીને રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. તેમણે લખ્યું છે કે આખરે એક ડુબતા રાજવંશને બચાવવા માટે કેટલા જુઠ બોલવા પડશે ? દુનિયાભરમાં મોટાભાગના લોકતંત્રમાં જે લોકો જુઠના સહારે આગળ વધવાનો પ્રયત્ન કરે છે, અંતે તે પોતે સામાજિક જીવનમાંથી ગાયબ થઈ જાય છે. તેમણે કહ્યું હતું કે તેમાં કોઈ બે મત નથી કે આપણા બદલતા સામાજિક-આર્થિક પરિવેશમાં ભારત પણ આમ જ કરશે.

અરુણ જેટલીએ કહ્યું હતું કે આધુનિક દુનિયામાં જેટલા પણ રાજનીતિક વંશ છે, તેમની કેટલીક સીમાઓ છે. આકાંક્ષી સમાજ હવે આ રીતની વ્યવસ્થાને પસંદ કરતો નથી. આજે લોકો જવાબદેહી અને પર્ફોમન્સ ઉપર વિશ્વાસ રાખે છે.

તેમણે કોંગ્રેસ ઉપર જોરદાર પ્રહાર કરતા કહ્યું હતું કે દુખની વાત છે કે ભારતની સૌથી જુની પાર્ટી એક વંશના જાળમાં ફસાઈ ગઈ છે. તેમના નેતામાં એટલી પણ હિંમત નથી કે તે વંશને સાચા-ખોટા વિશે કહી શકે. આ પરંપરાની શરુઆત 1970માં થઈ હતી. નેતાઓની નોકરવાળી માનસિકતાએ તેમને એ વાતે રાજી કરી લીધા છે કે તેમને ફક્ત એક જ પરિવારના ગુણ ગાવાના છે. જ્યારે આ વંશ જુઠ બોલ તો બાકી નેતા પણ તેમની સાથે તેમ જ કરવા લાગે છે.

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1580

Trump says India’s 50% tariff on US Motorcycles...

  • by bknews
  • June 14, 2019, 11:10 am
  • 1864

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 1612