પૂજારીની ધરપકડ બાદ ગામ સૂમસામ, બાકીના બંને આરોપીઓના ઘરે તાળું; પીડિતાની 3 મહીનામાં પૂજારી સાથે 800 વખત વાત થઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-09 11:43:34
  • Views : 35827
  • Modified Date : 2021-01-09 11:43:34

    બદાયૂમાં 50 વર્ષની મહિલા પર ગેંગરેપ અને તેની હત્યાના મુખ્ય આરોપી પુજારી સત્યનારાયણની ધરપકડ બાદ 24 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે. પરંતુ, ગામમાં લોકો ને બાબતે વાત કરવાથી પણ ડરી રહ્યા છે. ન કોઈ ઘટના બાબતે બોલવા માંગે છે. ગામના લોકો એવું જરૂર કહે છે કે છેલ્લા 4 દિવસમાં સમગ્ર ગામ છાવણીમાં ફેરવાઇ ગયું છે. પૂજારીની ધરપકડ બાદ હવે રાહત મળી છે.

    ગામની શેરીઓ સૂમસામ છે. આ કેસમાં બાકીના બે આરોપીઓના ઘરને તાળા લાગ્યા છે. દરમિયાન એક ચોંકાવનારી બાબત સામે આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિતા અને પૂજારી વચ્ચે ત્રણ મહિનામાં ફોન પર 800 વખત વાતચીત થઈ હતી. પોલીસ પાસે બંનેની કોલ ડિટેઇલ પણ છે.ગામના છેડે પૂજારીના શિષ્ય અને આરોપી વેદરામનું ઘર છે. તેનું ઘર બંધ હતુ. પડોસીઓએ જણાવ્યુ કે વેદરામની પત્નીની ઘણા સમય પહેલા મૃત્યુ થયું હતું. તેના પાંચ સંતાનો છે. ત્રણ છોકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે. એક પુત્ર 10 વર્ષનો અને પુત્રી 12 વર્ષની છે. બંને બાળકો વેદરામની ધરપકડ બાદ તેની બહેનોના ઘરે રહે છે. અકસ્માતની અસર એટલી છે કે પડોશીઓ વેદરામ વિશે કંઇ પણ કહેવાનું ટાળી રહ્યા છે. તેઓ કહે છે કે વેદરામનું ગામમાં કોઈને પણ વધુ સંબંધ ન હતા.


    ઉઘૈતી પોલીસ સ્ટેશનથી આશરે 200 મીટર દૂર બદાયૂ રોડ પર આરોપી ડ્રાઈવર જસપાલનું ઘર છે. ઘરની બહાર તેનો મોટો ભાઈ ઓમપાલ મળે છે. તે ગેંગરેપ વિશેની વાત એકદમ નકારે છે, અને તમામ દોષો મીડિયાને આપી રહ્યા છે. તેમણે કહ્યું કે મીડિયાએ ખોટા સમાચાર ચલાવ્યાં છે તેથી પોલીસ પર પણ દબાણ છે. અમે સીબીઆઈની તપાસની માગ કરી રહ્યા છીએ. જસપાલ ગાડીઓ ચલાવે છે અને તેની પાસે થોડી ખેતીવાડી પણ છે, જે તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. તે ભાડા પર કાર લઈ જાય છે. જોકે પુજારી પાસેથી કેટલું ભાડુ નક્કી કરાયું હતું, તે ઓમપાલ નથી જણાવી રહ્યા.


જસપાલના પત્નીનું પિયર કેયવલી ગામ છે. આ તે જ ગામ છે જ્યાં પીડિતાનું સાસરું છે. જસપાલની પત્ની ચંદ્રકલી વારંવાર બેભાન થઈ રહી છે. તેમનું બ્લડ પ્રેસર સતત વધી રહ્યું છે. બંને બાળકો અને ઘરના સભ્યો તેની સંભાળ લે છે. ચંદ્રકલી જ્યારે સારી થાઈ ત્યારે જણાવે છે કે રવિવારે મોડી સાંજે વેદરામનો ફોન આવ્યો તો જસપાલ સૂઈ રહ્યા હતા. તેણે દર્દીની વાત કહીને તેમને બોલાવ્યા. ત્યારબાદ મોડી રાત્રે તે 12 વાગ્યાની આસપાસ પાછો ફર્યો અને કહ્યું કે તે લોહિયાળ મહિલાને હોસ્પિટલમાં પહોંચાડવા ચંદૌસી ગયો હતો.

    જ્યારે હોસ્પિટલવાળાઓએ તેને દાખલ ન કરી તેઓ તેના ઘરે મૂકી આવ્યા હતા. ત્યાર બાદ, જ્યારે FIR દાખલ થઈ તો ઘરમાં વાતચીત બાદ તેઓ ફરાર થઈ ગયા. ત્યારે 4 વાગે પોલીસ અમને પકડીને લઈ ગઈ ત્યારે મારા ઘરવાળાઓએ રાત્રે 11 વાગે તેમણે પોલીસ સ્ટેશને હાજર કરી દીધા. અને અમે છૂટીને ઘરે આવી ગયા. હવે ભાઈની સાથે વકીલોના ધક્કા ખાઈ રહ્યા છીએ. હવે તો બધુ ભગવાન ભરોસે છોડી દીધું છે કે જો નિર્દોષ હોઈશું તો છૂટી જ જઈશું.પોલીસની થીયરી પ્રમાણે, પૂજારીએ જ પીડિતાને ફોન કરીને મંદિરે બોલાવી હતી. મંદિરે સાંજે એકાદ- બે જણ પૂજા કરવા માટે પહોંચ્યા હતા. કોઈને શક ન જાય તે માટે તે મંદિરના પાછળના દરવાજેથી અંદર ગઈ હતી. આ દરવાજો તે જ કોઠારીમાં ખૂલે છે, જેમાં કૂવો હતો.

    લગભગ 25 ફૂટ ઉંડા કુવાંમાં જૂનો પંપ લાગેલો છે. પીડિતા લપસીને કૂવામાં પડી ગઈ. જેમાં તે ગંભીર રીતે ઘેયલ ર્હઈ હતી. જ્યારે તેના રડવાનો અવાજ આવ્યો, ત્યારે પુજારી કોઠારીમાં ગાયા હતા. તેને વેદરામને બોલાવ્યો હતો. વેદરામે જસપાલને બોલાવ્યો. પહેલા તેઓ મહિલાને લઈને ચંદૌસી ગાયા હતા. પણ હોસ્પિટલે મહિલાની હાલતને જોતાં પરિવાર વિના તેની સારવાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યાર બાદ ત્રણેય મહિલાને તેના ઘરે લઈ ગયા હતા અને ત્યાં મૂકીને ભાગી ગયા હતા.


Download Our B K News Today App



Related News