ગોવિંદાને યાદ કરીને રડી પડ્યો ભાણિયો, કહ્યું હું તમને ખૂબ પ્રેમ કરું છું મામા! મારા બાળકોને રમાડો એવી ઈચ્છા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-09 20:56:37
  • Views : 300
  • Modified Date : 2022-05-09 20:56:37

કોમેડિયન કૃષ્ણા અભિષેકે તેના મામા ગોવિંદા માટે એક ભાવુક મેસેજ શેર કર્યો છે. કૃષ્ણા અભિષેકે કહ્યું કે તે તેના મામાને યાદ કરે છે અને ઈચ્છે છે કે તેના બાળકો ગોવિંદા સાથે રમે. અમે તમને જણાવી દઈએ કે કૃષ્ણ અભિષેક અને ગોવિંદા વચ્ચે હાલ બધુ બરાબર નથી અને તે એ વાત કહેવા માંગે છે કે જે એપિસોડમાં ગોવિંદા આવે તે પણ તે એપિસોડનો ભાગ બનવા માંગે છે. 

 

ગોવિંદાને યાદ કરીને ભાવુક થયો કૃષ્ણા 
મનીષ પોલના પોડકાસ્ટમાં કૃષ્ણા અભિષેક ખૂબ જ ભાવુક થઈ ગયા જ્યારે તેને તેના મામા સાથેના સંબંધને લઈને સવાલ કરવામાં આવ્યો. કૃષ્ણાએ કહ્યું કે તે ઘણી વખત એવું ફિલ કરે છે કે ગોવિંદાને પણ તેમની યાદ આવતી હશે. કૃષ્ણા મનીષ પોલના પોડકાસ્ટમાં મહેમાન બનેને પહોંચ્યા હતા. જેમાં બન્નેની વચ્ચેના સબંધને લઈને સવાલ કરવામાં આવ્યા હતા. મનીષે વચન આપ્યું હતું કે તે જે પણ જવાબ આપશે તેમાં કોઈ પણ કટ કે એડિટ નહીં કરવામાં આવે. 

હું તમને ખૂબ જ પ્રેમ કરૂ છું મામાજી"
આ જવાબ પર અભિષેકે ભીજાયેલી આંખોથી કહ્યું, "વાત એવી છે કે જ્યારે હું ઈન્ટરવ્યૂમાં બોલું છું તો વચ્ચે કટ-એડિટ અને પેસ્ટની બાદ સામે આવે છે. ગોવિંદા મામા, હું તમને ખૂબ પ્રેમ કરૂ છું અને મને તમારી ખૂબ જ યાદ આવે છે. હું હંમેશા તમને મિસ કરીશ. તમારે ક્યારેય પણ ન્યૂઝ પેપર અને એવી બધી વસ્તુઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ જે મીડિયામાં આવે છે. હું બસ એક વસ્તુ મિસ કરું છું કે હું ઈચ્છુ છું કે મારા મામા મારા બાળકોની સાથે રમે."

 

તેણે જણાવ્યું, "હું આ વસ્તુ ખૂબ વધારે મિસ કરૂ છું. તેમણે મારા બાળકો સાથે રમવું જોઈએ. હું જાણુ છું કે તેમને પણ મારી ખૂબ યાદ આવે છે. હું આ વાત જાણું છું." જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યૂમાં કૃષ્ણાએ ધ કપિલ શર્મા શોમાં ગોવિંદ વાળો એપિસોડ મિસ કરવા માટે તેમની માફી માંગી હતી. 

 

Download Our B K News Today App



Related News